Storm before the monsoon : ભારતમાં ચોમાસાની ઋતુની શરૂઆત થવા જઈ રહી છે, એ પહેલાં અરબી સમુદ્રમાં હલચલ વધવાની શરૂઆત થઈ ગઈ છે.
હવામાનનાં કેટલાંક મૉડલ્સ દર્શાવે છે કે ચોમાસું કેરળ પહોંચે તે પહેલાં જ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થશે અને તેની અસર ગુજરાત સુધી થવાની સંભાવના છે.
હાલ સોશિયલ મીડિયા અને કેટલાંક માધ્યમો દ્વારા અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાની માહિતી રજૂ કરવામાં આવી રહી છે અને તે વાવાઝોડું ગુજરાત તરફ આવશે તેવી ચર્ચા થઈ રહી છે. ભારતના સમુદ્રમાં એટલે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચોમાસા પહેલાં અને ચોમાસા પછી સામાન્ય રીતે વાવાઝોડાં સર્જાતાં હોય છે.
વર્ષ ૨૦૨૩માં પણ અરબી સમુદ્રમાં ચોમાસું શરૂ થયું તે પહેલાં જ ‘બિપોરજોય’ નામનું વાવાઝોડું સર્જાયું હતું અને તે કચ્છના દરિયાકિનારે ત્રાટક્યું હતું. હાલ ચોમાસું આંદામાન અને નિકોબારના ટાપુઓ, બંગાળની ખાડીના દક્ષિણના વિસ્તારોમાં તથા આંદામાન સમુદ્ર સુધી પહોંચી ગયું છે અને ત્યાંથી આગળ વધીને ૩ થી ૪ દિવસમાં અરબી સમુદ્રના દક્ષિણના ભાગો સુધી પહોંચે એવી સંભાવના છે?
આ પણ વાચો : ગુજરાતમાં હજી ૪૮ કલાક ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે, જાણો આજે ક્યાં-ક્યાં જિલ્લાઓનો છે વારો?
અરબી સમુદ્રમાં ચોમાસા પહેલાં વાવાઝોડું સર્જાશે? – Storm before the monsoon
ગુજરાત રાજ્યમાં હાલ કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને ચોમાસા પહેલાંની વરસાદી ગતિવિધિઓ આવનારા દિવસોમાં જોર પકડે તેવી સંભાવના દેખાઈ રહી છે.
આ બધાની વચ્ચે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા દેખાઈ રહી છે અને તેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદનું જોર વધી શકે છે.
જોકે, આ સિસ્ટમ હજી ડિપ્રેશન કે વાવાઝોડું બનશે કે નહીં તે મામલે હવામાનનાં મોટાભાગનાં મૉડલ્સ એકમત નથી. કેટલાંક મૉડલ્સ અનુસાર અહીં સિસ્ટમ બને છે અને તે મજબૂત બનશે તો કેટલાંક મૉડલ્સ કોઈ સિસ્ટમ બનશે કે નહીં તેની માહિતી આપતાં નથી.
હવામાન ખાતા દ્વારા ઉત્તર ભારતીય સમુદ્રમાં ચક્રવાત સર્જાવા અંગેનું બે અઠવાડિયાંનું પૂર્વાનુમાન રજૂ કરવામાં આવ્યું છે. જેમાં અરબી સમુદ્ર, બંગાળની ખાડીમાં વાવાઝોડાં સક્રિય થશે કે નહીં તેના માટેની સંભાવનાઓ અને કેવી પરિસ્થિતિઓ છે તેની માહિતી આપવામાં આવે છે.
આ પૂર્વાનુમાન અનુસાર હવામાનનું મૉડલ યુરોપિયન સેન્ટર ફૉર મિડિયમ રેન્જ વેધર ફૉરકાસ્ટ (ECMWF) એવું દર્શાવે છે કે ૨૩ મેની આસપાસ અરબી સમુદ્રમાં એક લૉ-પ્રેશર એરિયા બની શકે છે.
જે પછી આ સિસ્ટમ ૨૫ મે સુધી ઉત્તર તરફ આગળ વધશે એટલે કે ગુજરાત તરફ આગળ આવી શકે છે. જે પછી તે વળાંક લઈને ભારતના દરિયાકિનારાથી દૂર જતી રહેશે.
હવામાન ખાતાનું GFS મૉડલ પણ દર્શાવે છે કે ૨૪ મેની આસપાસ અરબી સમુદ્રમાં એક લૉ-પ્રેશર એરિયા બની શકે છે. જે પછી કદાચ તે વધારે મજબૂત બને અને ૨૫ મેના રોજ તે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે.
જોકે, GFS, NCEP અને NCUM (G) નામનાં હવામાનનાં મૉડલ્સ આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં કોઈ પણ સિસ્ટમ સક્રિય થશે એવું દર્શાવી રહ્યાં નથી.
અરબી સમુદ્રમાં સિસ્ટમ સર્જાશે અને ગુજરાતને અસર કરશે? – Storm before the monsoon
હાલ વિશ્વભરમાં હવામાનની આગાહી કરવા માટે મોટા ભાગે આંકડાકીય મૉડલ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને અલગ-અલગ મૉડલ્સ શું દર્શાવે છે તેના પરથી જે તે એજન્સીઓ આગાહી રજૂ કરતી હોય છે.
હાલની સ્થિતિમાં અરબી સમુદ્રમાં ૨ મૉડલ્સ દર્શાવે છે કે સિસ્ટમ બનશે અને બાકીનાં ૨ મૉડલ્સ દર્શાવતાં નથી કે સિસ્ટમ બનશે.
હવામાન ખાતાના પૂર્વાનુમાન મુજબ અરબી સમુદ્રમાં ૨૩મેની આસપાસ સિસ્ટમ બનવાની શક્યતા ૪૦ થી ૫૦ ટકા જેટલી છે.
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાય એ પહેલાં ભારતનું હવામાન ખાતું તેની માહિતી આપતું હોય છે અને તેના આધારે અન્ય વિભાગો આગોતરાં પગલાં લેતા હોય છે.
હાલ લાંબાગાળાના પૂર્વાનુમાનમાં હવામાન ખાતાએ સિસ્ટમની સંભાવના દર્શાવી છે, પરંતુ તેના દરરોજના બુલેટિનમાં કોઈ માહિતી આપી નથી.
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં ૨૫ મે સુધી વરસાદ ચાલુ જ રહેશે અને હવામાન ખાતાની આગાહી પ્રમાણે ૨૨ મેથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થઈ જશે.
૨૨ મે પછી દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શરૂઆત થવાની સંભાવના છે.
જો સિસ્ટમ બની અને તે વાવાઝોડું ના પણ બને અને લૉ-પ્રેશર એરિયાના રૂપમાં આગળ વધે તો પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.
અરબી સમુદ્રમાં બનતાં વાવાઝોડાં કઈ તરફ જાય છે? – Storm before the monsoon
હવામાન ખાતાની માહિતી અનુસાર ૧૯૬૧ થી ૨૦૨૪ સુધી મે મહિનામાં બંગાળની ખાડીમાં કુલ ૩૯ વાવાઝોડાં સર્જાયાં છે અને અરબી સમુદ્રમાં ૧૬ વાવાઝોડાં સર્જાયાં છે.
અરબી સમુદ્રમાં મે મહિનામાં સર્જાયેલાં આ વાવાઝોડાં માંથી ૭ વાવાઝોડાં દરિયાકાંઠે ત્રાટક્યાં છે. જેમાંથી ૨ ગુજરાત પર આવ્યાં, એક પાકિસ્તાન પર, એક કોંકણ અને ગોવા પર અને ત્રણ ઇરાન, આરબ દેશો અને આફ્રિકા તરફ ગયાં હતાં.
અરબી સમુદ્રમાં બનતાં વાવાઝોડાં ભારતના પશ્ચિમ તરફના દરિયાકિનારે સીધી અસર કરે છે. જેમાં ગુજરાતના દરિયાકિનારાનો પણ સમાવેશ થાય છે.
સામાન્ય રીતે અહીં બનતાં ચોમાસા પહેલાંનાં વાવાઝોડાં મોટા ભાગે મહારાષ્ટ્ર, કોંકણ, ગુજરાત અને ગોવા અને કર્ણાટકના દરિયાકાંઠાને અસર કરતાં હોય છે.
આ ઉપરાંત વાવાઝોડાં જો વળાંક લઈ લે તો તે પાકિસ્તાન, ઓમાન, યમન અને સોમાલિયા તરફના દરિયાકાંઠાને અસર કરે છે અને ક્યારેક ઇરાન અને બીજા દેશો સુધી પણ પહોંચે છે.
સામાન્ય રીતે ચોમાસા પછીનાં વાવાઝોડાં ગુજરાત કે મહારાષ્ટ્ર તરફ આવતાં નથી, પરંતુ તે મોટા ભાગે યમન અને સોમાલિયાના દરિયાકિનારે જતાં હોય છે.
ઉપરોક્ત બધીજ સંભાવનાઓમાં એ વાત મહત્ત્વની છે કે વાવાઝોડું અરબી સમુદ્રમાં ક્યાં સર્જાય છે અને તે સમયે હવામાનની સ્થિતિ કેવી હોય છે. ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં (ચક્રવાતો) કઈ તરફ જશે એટલે કે તેના માર્ગની આગાહી કરવી વધારે અઘરી હોય છે.

અગત્યની લિંક:
હોમ પેજ | allmovieinfo.com |
આ બધાની વચ્ચે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા દેખાઈ રહી છે અને તેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદનું જોર વધી શકે છે.