Ambalal Patel : ચોમાસુ કેવું રહે તેનું અનુમાન અલગ-અલગ રીતે લગાવવામા આવતું હોય છે. નક્ષત્રો, પવનની દિશા, વાતાવરણમાં થતા ફેરફાર અને પક્ષીઓની ચેષ્ટા પરથી ચોમાસાનું અનુમાન લગાવાવમાં આવતું હોય છે. ખાસ કરીને સૌથી વધુ જાણીતી લોકવાયકા એટલે કે ટિટોડી ઈંડા ક્યારે અને કેટલા મૂકે, તેના પરથી ચોમાસું કેવું રહેશે, તેનું પણ તારણ કાઢી શકાય. નોંધનીય છે કે, ટિટોડી ગુજરાત અને રાજસ્થાનના જળાશયો પાસે ફરતું પક્ષી છે.
આ પણ વાચો : ઠંડી ગઈ? ગુજરાતમાં બળબળતો ઉનાળો ક્યારથી શરૂ થશે? નવી આગાહી જાણો
અંબાલાલ પટેલની વરતારાની રીત – Ambalal Patel
હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આપણે ટિટોડીએ ક્યારે અને કેટલા ઈંડા મૂકે તેના પરથી તારણ લગાવતા હોય છે. પરંતુ ટિટોડી અષાઢ માસમાં ઈંડા મૂકે તો મહત્વનું ગણાય છે. જો ટિટોડી 4 ઈંડા મૂકે તો તેના પરથી તેવું નક્કી થાય છે કે વરસાદ ચારેય મહિના સારો થશે. જો 1 ઈંડુ મૂકે તો અષાઢ માસમાં સારો વરસાદ થાય છે, 2 ઈંડા મૂકે તો શ્રાવણ માસમાં સારો વરસાદ થાય છે, 3 ઈંડા મૂકે તો ભાદરવા મહિનામાં સારો વરસાદ થાય અને 4 ઈંડા મૂકે તો ચારેય મહિના સારો વરસાદ થાય છે.
આ પાણ વાચો : આકરી ગરમીમાં શેકાવા રહેજો તૈયાર!, ગુજરાતના આ જિલ્લાઓમાં હીટવેવની સંભાવના, જાણો લેટેસ્ટ આગાહી
ચોમાસુ સારુ કે નબળું કેમ જાણવું? – Ambalal Patel
જોકે ટિટોડી અષાઢ માસમાં ઈંડા મૂકે તેમજ 4 ઈંડા મૂકે તો વરસાદ સારો થાય છે. જો ઈંડાની અણીઓ નીચે તરફ રહે તો સારો વરસાદ થાય છે. જો ટિટોડી ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો ચોમાસું ભરપૂર રહે છે. અને ટિટોડી જો ઈંડા નીચે મૂકે તો ચોમાસું નબળું રહે છે. જો સૂકા તળાવ વચ્ચે ટિટોડી ઈંડા મૂકે તો ચોમાસું નબળું રહે છે.
જો કે પક્ષીઓને દુકાળ પડવાનો હોય તો ખબર પડી જતી હોય છે. ટિટોડી ઓછા ઈંડા મૂકે છે કારણ કે તે સંવેદનશીલ પક્ષીઓ છે અને તેમને ખ્યાલ આવી જતો હોય છે. પક્ષીઓની ચેષ્ટા, અવાજ અને માળા બાંધવાની ક્રિયા પણ ખૂબ જ મહત્વની રહેતી હોય છે.
ચકલીઓ જો ઘરમાં માળો બનાવે તો પણ વરસાદ સારો થાય છે. ચકલી ધૂળમાં નાહી તો પણ સારો વરસાદ થાય છે અને ચોમાસામાં મોર બોલે તો પણ સારો વરસાદ થાય છે. એટલે પક્ષીઓની ચેષ્ટા પર, તેમના અવાજ પરથી ચોમાસુ કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. પક્ષીની ચેષ્ટા અને ટિટોડીના ઈંડા ક્યાં મહિનામાં મૂકે તેના પરથી વરતારો નીકળતો હોય છે. બાર મહિનામાં ગમે ત્યારે ટિટોડી ઈંડા મૂકે અને વર્તારો નીકળે તેવું હોતું નથી.
જોકે ટિટોડી અષાઢ માસમાં ઈંડા મૂકે તેમજ 4 ઈંડા મૂકે તો વરસાદ સારો થાય છે. જો ઈંડાની અણીઓ નીચે તરફ રહે તો સારો વરસાદ થાય છે. જો ટિટોડી ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો ચોમાસું ભરપૂર રહે છે. અને જો ઈંડા નીચે મૂકે તો ચોમાસું નબળું રહે છે. જો ટિટોડી ઈંડા સૂકા તળાવ વચ્ચે મૂકે તો ચોમાસું નબળું રહે છે.

અગત્યની લિંક:
હોમ પેજ | allmovieinfo.com |
જોકે ટિટોડી અષાઢ માસમાં ઈંડા મૂકે તેમજ 4 ઈંડા મૂકે તો વરસાદ સારો થાય છે. જો ઈંડાની અણીઓ નીચે તરફ રહે તો સારો વરસાદ થાય છે. જો ટિટોડી ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો ચોમાસું ભરપૂર રહે છે. અને ટિટોડી જો ઈંડા નીચે મૂકે તો ચોમાસું નબળું રહે છે. જો સૂકા તળાવ વચ્ચે ટિટોડી ઈંડા મૂકે તો ચોમાસું નબળું રહે છે.